Gujarat Travels & Tours Ltd.

Gujarat Travels & Tours Ltd. your one stop center for the best and affordable traveling rates ,exciting tourist discoveries and so much more.

28/01/2024
31/12/2023
25/03/2023

અમેરિકામાં ટુરિસ્ટ વિઝા પર ગયેલા લોકો હવે નોકરી માટે અરજી કરી શકશે

વૉશિંગ્ટન: અમેરિકાએ (America) જાહેરાત કરી છે કે જે વ્યક્તિઓ અમેરિકામાં બિઝનેસ ટુરિસ્ટ વિઝા (Business Tourist Visa) પર અથવા ટુરિસ્ટ વિઝા બી-૧ અને બી-૨ પર પ્રવાસ કરતી હોય તે નવી નોકરી (Job) માટે અરજી કરી શકશે અને ઇન્ટરવ્યુ માટે પણ હાજર થઇ શકશે, પણ સંભવિત કર્મચારીએ એ સુનિશ્ચિત કરવું જ પડશે કે તેઓ તેમની નોકરી શરૂ કરતા પહેલા તેમનું વિઝા સ્ટેટસ (VISA Status) બદલી નાખે.

બી-૧ અને બી-૨ વિઝાઓ સામાન્ય રીતે બી વિઝાઓ તરીકે ઓળખાય છે અને તેઓ અમેરિકામાં જેમનો વ્યાપક ઉપયોગ થાય છે તે વિઝાઓમાં ખૂબ સામાન્ય વિઝાઓ છે. બી-૧ વિઝા એ મુખ્યત્વે ટૂંકા ગાળાના ધંધાકીય પ્રવાસો માટે અપાય છે, જ્યારે બી-૨ વિઝા મુખ્યત્વે પર્યટનના હેતુ માટે અપાય છે. એક નોંધમાં અને શ્રેણીબધ્ધ ટ્વીટ્સમાં યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ(યુએસસીઆઇએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે નોનઇમિગ્રન્ટ કામદારોની છટણી કરવામાં આવે છે ત્યારે તેઓ તેમના વિકલ્પો અંગે માહિતગાર હોતા નથી, અને કેટલાક બનાવોમાં તેઓ ખોટી રીતે ધારી લે છે કે તેમની પાસે ૬૦ દિવસની અંદર દેશ છોડી દેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

યુએસસીઆઇએસનું આ પગલું એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકામાં ભારતીયો સહિત વિદેશોમાં જન્મેલા હજારો કામદારોએ તાજેતરમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં કરાયેલી છટણીઓને કારણે પોતાની નોકરીઓ ગુમાવી છે. આ કામદારોએ ૬૦ દિવસના તેમના ગ્રેસ પિરિયડમાં નવી નોકરી શોધી લેવાની હોય છે પરંતુ તેમની પાસે બીજા વિકલ્પો પણ છે, જેમ કે તેઓ પોતાના વિઝા સ્ટેટસ બદલવા માટે અરજી કરી શકે છે અને પોતાના મજબૂરીના સંજોગો જણાવી શકે છે. જો તેમની અરજી મંજૂર થાય તો તેમને આ વિકલ્પનો લાભ મળી શકે છે.

19/03/2023

એજન્ટ ગેમ રમી ગયો, 20 લાખ ખર્ચી સ્ટૂડન્ટ વિઝા પર 🇨🇦 કેનેડા 🇨🇦 ગયેલા 700 ભારતીય સ્ટૂડન્ટ્સ ફસાયાં

કેનેડાની એક પ્રતિષ્ઠિત કોલેજના ઓફર ફોર એડમિશન લેટર દ્વારા એજન્ટે સ્ટૂડન્ટ વિઝા અપાવી દીધા, ત્યારબાદ ટોરેન્ટો પહોંચી ગયેલા સ્ટૂડન્ટ્સને એવા ગોળ-ગોળ ફેરવ્યા કે કોઈને પણ કૌભાંડની ગંધ સુદ્ધા ના આવી. કેનેડામાં વર્ષો વિતાવ્યા બાદ આ લોકોએ પીઆર માટે ફાઈલ મૂકી છેક ત્યારે એજન્ટે તેમની સાથે કરેલી ઠગાઈનો ભાંડો ફુટ્યો હતો.

કેનેડાએ ફેક દસ્તાવેજોના આધારે સ્ટૂડન્ટ વિઝા પર આવેલા 700 ઈન્ડિયન સ્ટૂડન્ટ્સને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ તમામ 700 સ્ટૂડન્ટ્સે પંજાબના જાલંધર શહેરમાં આવેલા એક કન્સલ્ટન્ટ મારફતે કેનેડાના સ્ટૂડન્ટ વિઝાની ફાઈલ મૂકી હતી. બારમા ધોરણનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ કોલેજમાં ભણવા માટે કેનેડા ગયા હતા. આ સ્ટૂડન્ટ્સે વિઝા મેળવવા માટે જે એડમિશન ઓફર લેટર રજૂ કર્યા હતા તે ફેક હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે આ લોકોને કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી દ્વારા ડિપોર્ટેશન લેટર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ તમામ લોકો કેનેડામાં છેલ્લા એકથી પાંચ વર્ષથી રહી રહ્યા છે અને ઘણાને તો વર્ક પરમિટ પણ મળી ગઈ હતી. જોકે, તેમણે PRની ફાઈલ મૂકી ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે રજૂ કરેલો એડમિશન ઓફર લેટર ફેક છે.

એજન્ટે 16-20 લાખ લઈ કેનેડા મોકલ્યા
જાલંધરમાં એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ નામની એક સંસ્થા ચલાવતો બ્રિજેશ મિશ્રા નામનો એક વ્યક્તિ લોકોને સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા મોકલવા માટે 16થી 20 લાખ રૂપિયા લેતો હતો. તે લોકોને કેનેડાની હમ્બર કોલેજના એડમિશન લેટર આપતો હતો, અને તેના આધારે તેમના સ્ટૂડન્ટ વિઝા અરેન્જ કરાવી દેતો હતો. જોકે, તે ક્લાયન્ટ પાસેથી એર ટિકિટ અને સિક્યોરિટી ડિપોઝિટના રૂપિયા અલગથી લેતો હતો. જે લોકોને બ્રિજેશ મિશ્રાએ કેનેડા મોકલ્યા હતા તે તમામ લોકો 2018થી 2022ના ગાળામાં ત્યાં પહોંચ્યા હતા.

જોકે, તેના ક્લાયન્ટ્સે જ્યારે કેનેડાના પીઆર માટે ફાઈલ મૂકી ત્યારે તેમના એડમિશન લેટરની તપાસ કરવામાં આવતા તે ફેક હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સી દ્વારા તેમને સ્ટૂડન્ટ વિઝા જે ડોક્યુમેન્ટ્સના આધારે ઈશ્યૂ કરાયા તેની તપાસ કરાઈ હતી, જેમાં આ વાત ફરી કન્ફર્મ થઈ હતી. કેનેડા ગયેલા આ તમામ સ્ટૂડન્ટ્સે પોતાનું ભણવાનું પૂરું કરી લીધું છે, અને વર્ક પરમિટ પણ મેળવી લીધી છે, આ ઉપરાંત તેમની પાસે કેનેડામાં કામ કરવાનો અનુભવ પણ છે. જોકે, તેઓ પીઆર માટે એપ્લાય કરવા ગયા ત્યારે આ આખોય મામલો બહાર આવ્યો હતો.

એજન્ટે કઈ ટ્રીક લગાવી વિઝા અપાવ્યા?
એક્સપર્ટ્સનું માનીએ તો, આવા કેસમાં એજન્ટો કલ્પના ના કરી શકાય તેવી ટ્રીક લગાવીને પોતાના ક્લાયન્ટને સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા મોકલી દેતા હોય છે. તેઓ કેનેડાની કોલેજોના ફેક ઓફર લેટર બનાવે છે, અને તેની ફી રિસિપ્ટ પણ નકલી હોય છે. ક્લાયન્ટની વિઝા ફાઈલમાં આ નકલી ડોક્યુમેન્ટ્સ મૂકી દેવાય છે. કોલેજમાં ફી ભરી દેવાઈ છે તેવો પુરાવો રજૂ કરાતા તેમને તુરંત જ વિઝા પણ મળી જાય છે. આ કેસમાં જે કોલેજોના ઓફર લેટર વિઝા ફાઈલમાં મૂકવામાં આવ્યા હતા ત્યાં તેઓ ક્યારેય ભણવા ગયા જ નહોતા, તેને બદલે તેમણે કેનેડા પહોંચીને કોઈ બીજી જ કોલેજમાં એડમિશન લીધું હતું.

સ્ટૂડન્ટ્સ કેનેડા પહોંચ્યા પછી એજન્ટે ગેમ શરૂ કરી
આ ઠગાઈનો ભોગ બનેલા એક સ્ટૂડન્ટના જણાવ્યા અનુસાર, જાલંધરના એજન્ટ મારફતે વિઝા મળ્યા બાદ સ્ટૂડન્ટ્સ જ્યારે ટોરેન્ટો પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે તેની બધી સીટ હાલ ફુલ થઈ ગઈ છે. જેથી તેમણે પોતાનો અભ્યાસ ચાલુ કરવા માટે નવું સેમેસ્ટર ચાલુ ના થાય ત્યાં સુધી એટલે કે છ મહિના રાહ જોવી પડશે. જો તેમને છ મહિના વેસ્ટ ના થવા દેવા હોય તો તેઓ બીજી કોલેજમાં ભણી શકે છે.

આવું કહીને એજન્ટે તેમને હમ્બર કોલેજની ફી પણ પાછી આપી દીધી હતી, જેથી બધાને તેની વાત પર વિશ્વાસ આવી ગયો હતો અને છ મહિના વેસ્ટ ના જાય તે માટે બધાએ બીજી કોલેજોમાં એડમિશન લઈને ભણવાનું ચાલુ કરી દીધું હતું. મોટાભાગના લોકોએ કેનેડામાં ઓછી જાણીતી હોય તેવી કોલેજોમાં બે વર્ષના ડિપ્લોમા કોર્સમાં એડમિશન લઈ લીધું હતું, અને ભણવાનું પૂરું થયા બાદ કેનેડામાં વર્ક પરમિટ પણ મેળવી લીધી હતી.

સ્ટૂડન્ટ્સની તમામ દલીલ ફગાવી દેવાઈ
આખરે કેનેડામાં ભણ્યા અને કામ કર્યા બાદ પીઆર માટે એલિજિબલ થતાં આ લોકોએ તેની પ્રોસેસ શરૂ કરી હતી. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ દસ્તાવેજોની કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સી દ્વારા ચકાસણી કરાઈ હતી, જેમાં એવું બહાર આવ્યું હતું કે તેમના એડમિશન ઓફર લેટર્સ ફેક છે. આ તમામ સ્ટૂડન્ટ્સને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાયા બાદ તેમને ડિપોર્ટેશન નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણમાં પોતાનું નામ ક્યાંય ના આવે તે માટે એજન્ટે એક જોરદાર ચાલાકી વાપરી હતી. તેણે વિઝા ફોર્મમાં પોતાની સહી ક્યાંય નથી કરી, અને તેના બદલે સ્ટૂડન્ટ્સને સેલ્ફ-એપ્લિકન્ટ બતાવી તેમની પાસે સહી કરાવી હતી. જેના કારણે હવે સ્ટૂડન્ટ્સ એમ પણ સાબિત કરી શકે તેમ નથી કે તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે.

હવે કેસ લડવો પડશે, જેમાં ઘણો ખર્ચો છે
હાલ કેનેડા બોર્ડર સિક્યોરિટી એજન્સી પણ તેમની કોઈ દલીલ સ્વીકારવા તૈયાર નથી, કારણકે સ્ટૂડન્ટ્સ પાસે એવો એકેય પુરાવો નથી કે જેના આધારે તેઓ પોતે નિર્દોષ છે તેવું સાબિત કરી શકે. એજન્ટની ઠગાઈનો ભોગ બનેલા લોકોએ એવી દલીલ પણ કરી હતી કે કેનેડાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ કેસમાં લાપરવાહી દાખવવામાં આવી છે, જેનો તેઓ ભોગ બન્યા છે.

જોકે, તેમની આ આર્ગ્યુમેન્ટને પણ ફગાવી દેવામાં આવી હતી. હાલ આ સ્ટૂડન્ટ્સ પાસે તેમને અપાયેલી ડિપોર્ટેશન નોટિસને કોર્ટમાં પકડારવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. જોકે, તેના માટે તેમણે કેનેડાની કોર્ટમાં ત્રણથી ચાર વર્ષ સુધી કેસ લડવો પડશે, અને તેમાં તેમને મોટો ખર્ચો પણ થશે. બીજી તરફ, આ ફ્રોડ કરીને કરોડો રૂપિયા કમાનારો જાલંધરનો એજન્ટ બ્રિજેશ મિશ્રા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે.

🇨🇦 કેનેડા 🇨🇦 જવાની ઉતાવળમાં છેતરાતા નહીં, ફ્રોડ કન્સલ્ટન્ટને કઈ રીતે ઓળખશો?Canada immigration: આજકાલ કેનેડા જવાનો જબરો ક...
12/03/2023

🇨🇦 કેનેડા 🇨🇦 જવાની ઉતાવળમાં છેતરાતા નહીં, ફ્રોડ કન્સલ્ટન્ટને કઈ રીતે ઓળખશો?

Canada immigration: આજકાલ કેનેડા જવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેનેડાએ વીઝા પ્રોસેસ સરળ કર્યા પછી ત્યાંના વીઝા માટે લાઈનો લાગી રહી છે. ગુજરાતમાંથી તો કેનેડા જનારાનો રાફડો ફાટ્યો છે. કેનેડા માટે હાલમાં જે પડાપડી જોવા મળી રહી છે તેનો કેટલાક લેભાગૂ તત્વો લાભ પણ લઈ રહ્યા છે. કેનેડાના વીઝાની પ્રોસેસ માટે કોઈપણ કન્સલ્ટન્ટની મદદ લેતા પહેલા તે ફ્રોડ તો નથી ને તે જાણી લેવું ઘણું જરૂરી છે. તેના માટે અમે તમને અહીં કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ.

કેનેડા હાલમાં ભારતીયો માટે ફેવરેટ દેશ બની ગયો છે. અત્યારે ખાસ કરીને ગુજરાતમાં તો કેનેડા જવા માટે લાઈનો લાગી રહી છે. હાલમાં કેનેડા માટે સરળતાથી વીઝા મળી જતા હોવાથી આ સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, કેનેડાના વીઝાના નામે ફ્રોડની પણ ઘણી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે કેનેડા જવા ઈચ્છતા લોકોએ છેતરપિંડીથી બચવા શું કરવું તેના માટે કેટલીક બાબતો ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. કેનેડાની સરકારે પણ તે અંગે પોતાની વેબસાઈટ પર વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. કેનેડા માટે વીઝા પ્રોસેસ કરતા પહેલા એ માહિતી જાણી લેશો તો મોટી છેતરપિંડી અને આર્થિક નુકસાનથી બચી જશો.

વીઝા પ્રોસેસ માટે કેનેડામાં રહેતા ઓળખીતાની મદદ લો

કેનેડાના વીઝા માટે પ્રોસેસ કરવામાં ત્યાં રહેતા તમારા પરિવારના સભ્ય કે વિશ્વાસાત્ર મિત્રની મદદ લો એ જ સૌથી સારો રસ્તો છે. તે કોઈ રૂપિયા લીધા વિના પ્રતિનિધિ તરીકે તમારી અરજી કરવામાં મદદ કરી શકે છે.

ઈમિગ્રેશન એજન્ટ માન્યતા પ્રાપ્ત છે કે નહીં તેની તપાસ કરો

જો તમે કોઈ ઈમિગ્રેશન એજન્ટની મદદથી કેનેડાના વીઝાની પ્રોસેસ કરી રહ્યા છો તો એ એજન્ટ કેનેડાની સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે કે નહીં તેની તપાસ કરો. કેનેડા સરકારની વેબસાઈટ (www.canada.ca) પર અપાયેલી માહિતી મુજબ,કેનેડામાં ઈમિગ્રેશન વીઝા કે રહેવા માટે કોઈપણ પ્રકારના વીઝા માટે તમે કેનેડિયન ઈમિગ્રેશન વકીલ, ક્યુબેક નોટરી કે પછી ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ ઓફ કેનેડા રેગ્યુલેટરી કાઉન્સિલ (ICCRC- https://iccrc-crcic.ca/fraud-prevention/)ના લાઈસન્સ્ડ એજન્ટનો સંપર્ક કરી શકો છો. આ લોકો સર્ટિફાઈડ અને લાઈસન્સ ધરાવતા હોય છે અને તેમને કેનેડા ઈમિગ્રેશન માટે ટ્રેનિંગ અપાયેલી હોય છે. આઈસીસીઆરસી રેગ્યુલેટરી ઓથોરિટી છે, જેને ઈમિગ્રેશન કન્સલ્ટન્ટની સેવા લેનારા ગ્રાહકોની સુરક્ષા માટે કેનેડાની સરકારે સ્થાપિત કરી છે.

આઈસીસીઆરસીની વેબસાઈટ પર ફ્રોડ સાથે સંલગ્ન નિયમોને જોશો તો જાણવા મળશે કે, કેનેડા સરકારના કોઈપણ રિપ્રેઝન્ટેશન માટે આ ત્રણમાંથી કોઈ એકનું એસોસિએટ્સ હોવું જરૂરી છે. કોઈ ભારતીય તેના માટે ડાયરેક્ટ પ્રેઝન્ટેશન કરી શકે નહીં. નિયમ કહે છે કે, જો કોઈ ભારતમાં ઈમિગ્રેશન કન્સલ્ટન્સીનું કામ કરે છે, તો તેણે ઉપરોક્ત ત્રણમાંથી કોઈ એક સાથે જોડાયેલા હોવું જરૂરી છે.

જો ઈમિગ્રેશન એજન્ટ રૂપિયા લેતો હોય તો આ બાબત તપાસો

જો તમે એક ઈમિગ્રેશન એજન્ટ (સલાહકાર, વકીલ કે ક્યુબેક નોટરી) કન્સલ્ટન્ટને તેની સેવાઓ માટે રૂપિયા આપો છો, તો તે પેઈડ કન્સલ્ટન્ટ છે અને તેના માટે તેનું માન્યતાપ્રાપ્ત હોવું ફરજિયાત છે.

કોઈ વ્યક્તિ ICCRCનો સભ્ય છે કે નહીં તે કઈ રીતે જાણશો

આઈસીસીઆરસીની વેબસાઈટ પર તમે લાઈસન્સ પ્રાપ્ત કન્સલ્ટન્ટને તેમના નામ, ઉપનામ, ઓફિસના એડ્રેસ કે રજિસ્ટ્રી ક્રમાંકનો ઉપયોગ કરી શોધી શકો છો. અહીં ( https://iccrc-crcic.ca/find-a-professional/) તમે એ પણ જોઈ શકશો કે એ કન્સલ્ટન્ટ સામે ભૂતકાળમાં કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ છે કે નહીં. કેનેડાના ઈમિગ્રેશન વકીલ તેઓ જે પ્રાંતમાં રહેતા હોય તેની લૉ સોસાયટીના સભ્ય હોય છે, જેમ કે, લૉ સોસાયટી ઓફ ઓંટારિયો કે બ્રિટિશ કોલંબિયા. તમારે માત્ર એ તપાસવાનું છે કે ,શું કન્સલ્ટન્ટ કે ઈમિગ્રેશન વકીલ પાસે લાઈસન્સ છે કે નહીં? જો તમને કોઈ કન્સલ્ટન્ટ કે ઈમિગ્રેશન વકીલ પોતાનો લૉ સોસાયટી નંબર કે ICCRC નંબર આપવાની ના પાડે તો સમજી લેવું કે તેની પાસે લાઈસન્સ નથી.

અરજી મંજૂર થવા પર જ રૂપિયા લેવા- નિશ્ચિત રીતે નકલી છે

કેનેડા રેગ્યુલેટરી કાઉન્સિલ (ICCRC)ના ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્સ દ્વારા રેગ્યુલેટેડ ઈમિગ્રેશન કન્સલ્ટન્ટને ખાસ કરીને આકસ્મિક આધાર પર બિલિંગની મંજૂરી નથી અપાતી. તેનો અર્થ છે કે, વીઝા અરજી મંજૂર થવા પર કોઈ ચાર્જ લેવાનો હોતો નથી. જો કોઈ આવો ચાર્જ લઈ રહ્યું છે તો સમજી લેવું કે તે આઈસીસીઆરસીના નિયમોને તોડી રહ્યું છે અને પ્રામાણિક નથી કે પછી તે આઈસીસીઆરસીનો સભ્ય નથી.

કન્સલ્ટન્ટ અંગે આ બાબતો પણ જાણી લેજો

રિટેનર એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા અને પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારી પાસે તમારા કન્સલ્ટન્ટ અંગે બધી જાણકારી હોવી જોઈએ, જેમાં કન્સલ્ટન્ટનું પુરું નામ, કાર્યાલયનું સરનામું, ફોન નંબર અને ઈમેલ સહિત સંપર્કની જાણકારી, આઈસીસીઆરસી કે લૉ સોસાયટીનો રજિસ્ટર નંબર. ઉપરાંત તમારો કન્સલ્ટન્ટ તમારા ઈમેલ કે ફોન કોલનો કેટલો જલદી જવાબ આપશે તે અંગે પહેલેથી જ ચર્ચા કરી લેજો. સામાન્ય રીતે 24થી 48 કલાકમાં જવાબ આપવાની સામાન્ય સમય મર્યાદા છે. તમારો કન્સલ્ટન્ટ કોણ છે, તેનો સંપર્ક કઈ રીતે કરવો, અરજી પ્રક્રિયા કેવી હશે તે અંગે બધી માહિતી મેળવી લેવી.

કન્સલ્ટન્સીની શરતો અને સેવા અંગે કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટતા જરૂરી

કેનેડિયન રેગ્યુલેટેડ ઈમિગ્રશન કેન્સલ્ટન્ટ્સ અને કેનેડિયન ઈમિગ્રેશ વકીલોએ પોતાના ગ્રાહકોની સાથે એક કોન્ટ્રાક્ટ પર સહી કરવાની હોય છે જેથી તેમને ઈમિગ્રેશન સેવા આપી શકાય. આ કોન્ટ્રાક્ટમાં કન્સલ્ટન્ટના સંપર્ક અંગેની જાણકારી, આપવામાં આવનારી સેવાઓની યાદી, ફીના પ્રકાર અને કેટલા રૂપિયા થશે તેની વિગત, રૂપિયા ક્યારે ભરવાના રહેશે તેની વિગત, જો કન્સલ્ટન્ટ સાથે કોઈ મતભેદ થાય તો શું કરવું તેની જાણકારી, આઈસીસીઆરસી કે લૉ સોસાયટીનો સંપર્ક કરી કન્સલ્ટન્ટ સામે ફરિયાદ કઈ રીતે કરવી તેની માહિતી હોવી જરૂરી છે. આ કોન્ટ્રાક્ટ (જેને રિટેનર એગ્રિમેન્ટ કહેવાય છે) તમારી સહી હોય તે પછી જ એક પ્રોફેશનલ ઈમિગ્રેશન સલાહકાર કે વકીલ તમારી વીઝા પ્રોસેસમાં મદદ માટે આગળ વધવો જોઈએ. જો કોન્ટ્રાક્ટ પર તમને સહી કરવા કહેવામાં નથી આવતું, તો તે વ્યક્તિ કાં તો એક લાઈસન્સ પ્રાપ્ત પ્રોફેશનલ નથી કે પછી તે નિયમો તોડી રહ્યો છે.

વીઝાની ગેરન્ટી આપનારનો વિશ્વાસ ન કરો

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈપણ કન્સલ્ટન્ટ વીઝાની ગેરન્ટી આપી શકતો નથી. જો કોઈ તમને એવું કહી રહ્યું હોય કે તે તમારા વીઝા મંજૂર કરાવી દેવાની કે જલદી કરાવી આપવાની ગેરંટી આપી રહ્યો છે તો તેના પર આંધળો વિશ્વાસ ન મૂકવો.

The Government of Canada website is a single point of access to all programs, services, departments, ministries and organizations of the Government of Canada.

06/03/2023

Where Indian students went to study in 2022:

US🇺🇸: 190,512
Canada🇨🇦: 185,955
UK🇬🇧: 132,709
Australia🇦🇺: 59,044
Germany🇩🇪: 20,684
Russia🇷🇺: 19,784
Singapore🇸🇬:17,085
B'desh🇧🇩: 17,006
Kyrgyzstan🇰🇬: 14,728
Philippines🇵🇭: 11,261

Jay Swaminarayan!  We are pleased to invite you to 3 day celebrations to welcome Mahant Swami Maharaj pratistith Aksharp...
02/02/2023

Jay Swaminarayan! We are pleased to invite you to 3 day celebrations to welcome Mahant Swami Maharaj pratistith Aksharpurushottam Maharaj to our Toronto Mandir. Sun. Feb 5 @ 3.45 pm - Aagman Vidhi (Swagat yatra, Mahapuja, Annakut Darshan) Sat. Feb 11 @ 4 pm - Abhishek Vidhi (Everyone will get opportunity to take part) Sun. Feb 12 @ 4 pm - Arpan Vidhi (A chance to welcome Aksharpurushottam Maharaj with various traditional offerings) Do not miss this once in a lifetime opportunity!! BAPS Shri Swaminarayan Mandir, Toronto.

19/01/2023
26/11/2021

⚠️To help avoid delays or a refusal, make sure that you carefully follow the instructions as per the application guide for your immigration category.
Ensure that the forms are properly filled. Sign and date the application forms.
Declaring your previous visa refusals from Canada or any other country is MANDATORY.
Incorrect/false/hidden information on your application can lead to a 5-year ban on entering Canada.

Visit: https://bit.ly/3HcQ5Rt

Find application forms and guides

Address

Kampala

Opening Hours

Monday 09:00 - 17:00
Tuesday 09:00 - 17:00
Wednesday 09:00 - 17:00
Thursday 09:00 - 17:00
Friday 09:00 - 17:00

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Travels & Tours Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Travels & Tours Ltd.:

Share

Category